વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ચંદ્રપુર ગામના બોર્ડ પાસે આજરોજ ઈદે મિલાદ તહેવાર દરમ્યાન વહેલી સવારે ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં કોઇ કારણોસર બાઇક અકસ્માતગ્રસ્ત થતાં યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ચંદ્રપુર ગામના બોર્ડ પાસે અંજની પ્લાઝા સામે આજરોજ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ઇદે મિલાદ તહેવાર નિમિત્તે વાંકાનેરથી લિંબાળા તરફ હિરો મેસ્ટ્રો બાઇક નં. GJ 09 CU 6587 લઇને પસાર થતા એહમદશા જહાંગીરશા રાઠોડ (ઉ.વ. ૨૧, રહે. હાલ લીંબાળા ધારે, વાંકાનેર, મુળ રહે. થાન, જી. સુરેન્દ્રનગર)નું બાઇક કોઈ કારણોસર અકસ્માતગ્રસ્ત બનતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, હાલ આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….