Wednesday, November 5, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : ચેક રીર્ટનના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કરતી કોર્ટ....

    વાંકાનેર : ચેક રીર્ટનના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કરતી કોર્ટ….

    વાંકાનેર કોર્ટમાં ફરીયાદી દિગ્વીજયસિહ અશોકસિંહ જાડેજાએ રોયલ પોલ્ટ્રી ફીડના નામથી રાજકોટના જે. કે. પોલ્ટ્રી ફાર્મના પ્રોપરાઈટર ઈબ્રાહીમ રજાકભાઈ ખોખર (રહે. શાપર–વેરાવળ, રાજકોટ)ને પોલ્ટ્રી ફીડનો માલ વેંચાણ આપેલ હોય, જે માલની બાકી રકમ રૂ. ૧૫,૦૦,૦૦૦ ચુકવવા આરોપી ઈબ્રાહીમ રજાકભાઈ ખોખરએ ચેક આપેલ હોય,

    જે ચેક રિટર્ન થતાં તેનો કેસ ફરીયાદીના વારસદાર દીવ્યાબા દિગ્વીજયસિંહ જાડેજાએ નામદાર વાંકાનેરની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હોય, જે ફરીયાદ કોર્ટમાં ચાલી જતા આરોપીના વકીલ એસ. વી. પરાસરા, એસ. કે. પીરઝાદા અને એ. વાય. શેરસીયાની રજુઆતો તથા દલીલોને ધ્યાને લઇ વાંકાનેર કોર્ટના જજશ્રી વી. એસ. ઠાકોર દ્વારા આરોપી ઈબ્રાહીમ રજાકભાઈ ખોખરને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/K1p38uWmpPq52mODC7etzP?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!