Sunday, August 10, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ચકચારી અમીત કોટેચા હત્યા પ્રકરણમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવતી...

    વાંકાનેરના ચકચારી અમીત કોટેચા હત્યા પ્રકરણમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવતી કોર્ટ….

    વાંકાનેર શહેરના હાઇવે જકાતનાકા ખાતે વર્ષ ૨૦૨૨માં બે ઇસમોએ મળી અમિત ઉર્ફે લાલાભાઇ અશ્વિનભાઈ કોટેચાના નામના યુવાનની ઘાતકી હત્યા કરી નાખી હોય, જે ચકચારી પ્રકરણમાં આજરોજ મોરબી સેશન્સ કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૧/૦૯/૨૦૨૨ ની રાત્રીના વાંકાનેર જકાતનાકા પાસે અમિત ઉર્ફે લાલાભાઇ અશ્વિનભાઈ કોટેચા નામના યુવકની આરોપી ઇમરાન ફારૂકભાઈ છબીબી અને ઈનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઈ પીપરવાડીયા નામના ઇસમોએ તિક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી હોય, જેમાં મૃતક યુવાન તેના પાડોશી સુરેશભાઈએ આરોપી સરફરાઝ મકવાણા પાસે વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણીમાં વચ્ચે પડ્યો હોય, જેનો ખાર રાખી બંને આરોપીઓએ યુવક સાથે ઝઘડો કરી તેને હત્યા કરી બાદમાં સ્થળ પરથી અન્ય આરોપી સરફરાઝને ફોન કરતાં તેની પણ આ ગુનામાં સંડોવણી ખુલતા આજરોજ નામદાર મોરબી સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને આ ગુનામાં આજીવન કેદની સજા ફરમાવવા હુકમ કર્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!