વાંકાનેર તાલુકાના ગ્રામ વિસ્તારમાં રહેતા ગરીબ લોકો આજે પણ તેમના હકોથી વંચિત હોય ત્યારે આવા નબળા લોકોને ગ્રામ પંચાયત દ્વારા સરકારી જમીનમાં પ્લોટ પાડી તેની ફાળવણી કરવા તેમજ પશુપાલન થકી જીવન નિર્રવા કરતા માલધારીઓ તેમજ પશુપાલકોને તેમના માલ ઢોરને રાખવા માટે ગામતળ નજીક
વાડાઓની ફાળવણી કરવા વાંકાનેર આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ તકે આમ આદમી પાર્ટી તરફથી મોરબી જિલ્લા ઉપ-પ્રમુખ અર્જુનસિંહ વાળા, તાલુકા પ્રમુખ ગનીભાઈ બાદી, રાતીદેવળી જિલ્લા પંચાયત સીટ ઇન્ચાર્જ ભુપતભાઇ લુંભાણી, તાલુકા સંગઠન મંત્રી યકુબભાઈ બાદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા….