Sunday, July 20, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની વૃંદાવન વાટિકામાં શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદીરના પ્રથમ પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે....

    વાંકાનેરની વૃંદાવન વાટિકામાં શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદીરના પ્રથમ પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે….

    પાટોત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, મહાપ્રસાદ તથા ભસ્મ આરતી સહિતના કાર્યક્રમો યોજાશે….

    વાંકાનેરના જડેશ્વર રોડ પર આવેલ વૃંદાવન વાટિકા સોસાયટી ખાતે બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તા.૨૨/૦૭/૨૦૨૫ અષાઢ વદ તેરસના રોજ પ્રથમ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ધામધૂમપૂર્વક પાટોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે…

    આ ઉજવણીમાં શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદીર ખાતે આગામી મંગળવારે સવારે ૭ વાગ્યે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, બપોરે મહાપ્રસાદ, સાંજે ૬:૩૦ વાગ્યે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવને મહાકાલના શણગાર સાથે ભસ્મ આરતી કરવામાં આવશે, જેમાં છોટી કાશી હળવદથી ખાસ નીરવભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે. જેથી આ ઉજવણીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા તમામ શિવભક્તોને શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!