Monday, July 14, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના તિથવા ગામે પ્રેમલગ્ન કરનાર દંપતિમાં નાના-મોટા ઝઘડામાં પતિએ માર મારતા પરિણીતાએ...

    વાંકાનેરના તિથવા ગામે પ્રેમલગ્ન કરનાર દંપતિમાં નાના-મોટા ઝઘડામાં પતિએ માર મારતા પરિણીતાએ ઝેરના પારખા કર્યા…

    વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં રહી ખેતમજૂરી કરતા એક પ્રેમી યુગલે પ્રેમલગ્ન કર્યાના થોડા સમયમાં જ બન્ને વચ્ચે નાની-મોટી બાબતોમાં ઝઘડા શરૂ થયા હોય, દરમ્યાન પતિએ ‘ દાળ કેમ બગડી ? ‘ કહી ઝઘડો કરી માર મારતાં ગુસ્સા પરણિતાએ ઝેરીના પારખાં કર્યા બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં રહી ખેત મજૂરી કરતાં સુનિતાબેન દિનેશભાઇ ડામોરએ તેના પતિ દિનેશભાઇ હરસિંગભાઈ ડામોર સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી અને આરોપીએ થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કર્યા હોય, જે બાદ બંને વચ્ચે નાની-નાની બાબતોમાં ઝઘડાં થતાં હોય, જેમાં ‌આરોપીએ ફરિયાદીને ‘ રસોઇમાં દાળ કેમ બગડી ? ‘ કહી ઝઘડો કરી માર મારતાં ફરિયાદીએ ગુસ્સામાં ખેતરમાં છાંટવાની દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!