Tuesday, September 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સતાપર ગામે ખેડૂતની વાડીએ ટ્રાન્સફોર્મરમાં ચડી ગયેલા દિપડાનું વીજ શોક લાગવાથી...

    વાંકાનેરના સતાપર ગામે ખેડૂતની વાડીએ ટ્રાન્સફોર્મરમાં ચડી ગયેલા દિપડાનું વીજ શોક લાગવાથી મોત….

    વાંકાનેર તાલુકાના સતાપર ગામની આજુબાજુના વિડી વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ ચડી આવતા હોય, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળતો હોય, ત્યારે ગતરાત્રિના ગામની સીમમાં આવેલ એક ખેડૂતની વાડીએ ચડી આવેલ દીપડો ટ્રાન્સફોર્મર(ટીસી)માં ચડી જતા ઇલેક્ટ્રીક શોક લાગવાથી દિપડાનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં આવેલા કુશાલભાઈ ધરમશીભાઈ મકવાણા નામના ખેડૂતની વાડીએ ગત મોડીરાત્રીના એક દિપડો ચડી આવ્યો હોય, જેમાં દિપડો ચાલુ ટ્રાન્સફોર્મર પર ચડી જતા ઇલેક્ટ્રીક શોક લાગવાથી દિપડાનું ટીસી પર જ મોત થયું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર આજુબાજુના વિસ્તારમાંથી દીપડાઓ ચડી આવતા હોય, જેના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!