Tuesday, October 14, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સરધારકા ગામે પૈસાની લેતીદેતી મામલે ખેડૂત પર ત્રણ ઇસમોએ હુમલો કરી...

    વાંકાનેરના સરધારકા ગામે પૈસાની લેતીદેતી મામલે ખેડૂત પર ત્રણ ઇસમોએ હુમલો કરી માર મારી ટાંટીયા ભાંગી નાંખ્યા….!

    વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે પૈસાની લેતી દેતી મામલે ગાંગીયાવદર ગામના ખેડૂતને રસ્તામાં ઉભાં રાખી બાઇક પર બેસાડી સીમમાં વાડીના રસ્તે લઈ જઈ ત્રણ ઈસમોએ હુમલો કરી માર મારી ટાંટિયા ભાંગી નાખતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામના ખેડૂત ધીરૂભાઈ લખમણભાઈ ધરજીયા (ઉ.વ. ૫૨)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી વેલુભા ઘનુભા ઝાલા, ખનુભા ઝાલા અને વેલુભાના ભત્રીજા કાનભા ઝાલા (રહે. ત્રણેય સરધારકા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને આરોપીઓ સાથે એક વર્ષ પૂર્વે પૈસાની લેતીદેતી મામલે ઝઘડો થયો હોય, જેનો ખાર રાખી ફરિયાદી તેમના કાકા સાથે બાઇક પર ગાંગીયાવદરથી વાંકાનેર જઈ રહ્યા હોય, ત્યારે રસ્તામાં સરધારકા ગામે આરોપીઓએ ફરિયાદીને ઊભા રાખી બાઈક પર બેસાડી ગામની સીમમાં લઈ જઈ લાકડી વડે બેફામ માર મારી પગમાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!