
વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં ખાનગી કંપની દ્વારા ખેડૂતોના અવર-જવરના માર્ગ તેમજ ગામના પશુઓના ઘાસચારાના મેદાનમાં ખેડૂતોને તકલીફ પડે તે રીતે પવનચક્કી ઊભી કરવાની કામગીરી કરવામાં આવી રહી હોય, જેની સામે આજરોજ સ્થાનિક ખેડૂત ગ્રામજનો દ્વારા વાંકાનેર મામલતદાર મારફતે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક આ કામગીરી અટકાવી ખેડૂતોને નુકસાન ન થાય તે રીતે અન્ય જગ્યાએ પવનચક્કી ઊભી કરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે….




