રામપરા અભ્યારણ્ય દરેક દ્વષ્ટિએ સફારી પાર્ક માટે અનુકૂળ, સફારી પાર્કના નિર્માણથી વાંકાનેર પંથક પર્યટન સ્થળ તરીકે વિકસિત બનશે : ઇરફાન પીરઝાદાની માંગ….
વાંકાનેર તાલુકાનું રામપરા અભયારણ પ્રાણીઓ તથા પક્ષીઓના વસવાટ, સુરક્ષા તથા વાતાવરણ એમ દરેક દ્રષ્ટિએ સતત વિકસતી થઇ રહ્યું છે, ત્યારે રામપરા અભયારણને સફારી પાર્ક તરીકે વિકસાવી વાંકાનેર પંથકને પર્યટન સ્થળ તરીકે સ્થાપિત કરવા વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઇરફાન પીરઝાદા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી માંગ કરવામાં આવી છે…
તેમણે પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે, ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ વાંકાનેર તાલુકાનું ભૌગોલીક ભુપુષ્ઠ ડુંગરાળ, પર્વતો તથા જંગલોવાળું છે, જેમાં પણ વાંકાનેરના રામપરા અભયારણ્યમાં સિંહોનું સંવર્ધન કેન્દ્ર ઘણા લાંબા સમયથી કાર્યરત છે અને ગીરના એશિયાઈ સિંહોને અનુકુળ વાતાવરણ મળી રહેતા બીડીંગ સેન્ટરનો પ્રોજેકટ સફળ થતાં સિંહોના ઉછેરમાં નોંધપાત્ર પ્રગતિ સાધી શકાય છે. આ સાથે જ રામપરા અભયારણ્યમાં નિલગાય, હરણ, શિંકારા, શિયાળ, દિપડા જેવા જંગલી પ્રાણીઓ તેમજ ભાતભાતના પક્ષીઓના વસવાટ માટે અનુકૂળ વાતાવરણ પ્રાપ્ય છે…
રામપરા અભયારણ્ય ફોરેસ્ટ વિભાગની કુનેહ અને સરકારની દીર્ઘદ્રષ્ટિથી સતત સુવિધા સાથે વિકસિત થઇ રહ્યું છે, દરમ્યાન રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળભાઈ બેરાની રામપરા અભયારણ્યની મૂલાકાત સમયે તેમણે આંબરડી, બરડા અને ગીર સહિતના સ્થળોની જેમ અહીં પણ સફારી પાર્ક થઈ શકે તેવી શક્યતાઓ દર્શાવી હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા રામપરા અભયારણ ખાતે સફારી પાર્કનું આયોજન કરી વાંકાનેર પંથકને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1