વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલનો આજે જન્મદિવસ હોય, જેઓ આજે પોતાના સંઘર્ષમય સફળ જીવનના 52 વર્ષ પુર્ણ કરી 53 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા હોય, જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર વિસ્તારના સંતો-મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ, વેપારીઓ તથા પ્રજાજનો દ્વારા રૂબરૂ, સોશિયલ મીડિયા તથા તેમજ મો. 98252 22855 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞેશભાઈ પટેલ વાંકાનેર વિસ્તારમાં અનેકવિધ સેવાકાર્યો સાથે જોડાયેલ હોય સાથે પોતાના દાનવીર સ્વભાવથી વાંકાનેરમાં અગ્રણી દાતા તરીકે ઉભરી આવ્યા છે. હાલ તેઓ વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, જીઆઇડીસી એસોસિયેશનના મંત્રી, વાંકાનેર એજ્યુકેશન સોસાયટીમાં ટ્રસ્ટી, પાટીદાર સેવા સમાજના પ્રમુખ, પાંજરાપોળનાં સેક્રેટરી, સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સભ્ય, ઉમિયાધામ સીદસરનાં ટ્રસ્ટી, ઝોન ચેર પર્સન લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ, ગાયત્રી શક્તિપીઠના સભ્ય, વાંકાનેર આઇટીઆઇ, ફળેશ્વર સેવા સમિતિ, વાંકાનેર મુક્તિધામ, તેમજ વાંકાનેર વિસ્તારની વિવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક તથા જાહેર સંસ્થાઓમાં જોડાઇ સક્રિય રીતે જનસેવા કરી રહ્યા છે. જેમના આજે જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી અગ્રણી ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….