Friday, June 20, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે આવતીકાલે સ્વ. પદમાબેન નાગ્રેચાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન...

    વાંકાનેર ખાતે આવતીકાલે સ્વ. પદમાબેન નાગ્રેચાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પ યોજાશે….

    વાંકાનેર શહેરના જીનપરામાં દશનામ ગોસ્વામી સમાજની વાડી ખાતે આવતીકાલે સ્વ. પદમાબેન મહેશભાઈ નાગ્રેચાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ, મહારક્તદાન કેમ્પ, તુલસી તથા વૃક્ષોના રોપાનું વિતરણ સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હોય, જેનો લાભ લેવા તમામ નાગરિકોને અપિલ કરવામાં આવી છે….

    આ સાથે જ આ તકે વાંકાનેર પંથકના નાગરિકો માટે આધાર કાર્ડમાં સુધારા-વધારા, રેશનકાર્ડ કેવાયસી, પોસ્ટને લગતી તમામ યોજનાઓની માહિતી તેમજ મહિલા રોજગાર યોજનાઓના ફોર્મ પણ ભરી આપવામાં આવશે. જેથી આ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં તેમજ વર્તમાન સમયમાં રક્તની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખી યોજાનાર રક્તદાન કેમ્પમાં વધુને વધુ રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવે છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!