Wednesday, October 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં નવરાત્રિ તહેવાર દરમ્યાન રાત્રીના ટ્રાફિક સમસ્યા ટાળવા ભારે વાહનો માટે વૈકલ્પિક...

    વાંકાનેરમાં નવરાત્રિ તહેવાર દરમ્યાન રાત્રીના ટ્રાફિક સમસ્યા ટાળવા ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર….

    વાંકાનેર શહેરમાં પવિત્ર નવરાત્રિ દરમિયાન દરમિયાન ઠેર ઠેર ચોકમાં ગરબીઓના આયોજન થતાં હોય, ત્યારે રાત્રીના ગરબી દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશવાથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે દર દિવસ માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટની જાહેર કરવામાં આવ્યો છે….

    વાંકાનેર શહેરને રાતીદેવરી-પંચાસર ગામ સાથે જોડતો મચ્છુ નદી પરનો ઓવરબ્રિજ નબળો પડીને બેસી ગયો હોવાથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ કારણે મોટા પ્રમાણમાં ભારે વાહનો શહેરના સાંકડા માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે, જેના પરિણામે ટ્રાફિક જામ અને અકસ્માતોનું જોખમ વધી ગયું છે. આ ઉપરાંત, ૨૧ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન નવરાત્રીનો તહેવાર હોવાથી જૂના ચંદ્રપુર રોડ, જીનપરા ચોક, સિટી સ્ટેશન રોડ અને ધર્મ ચોક જેવા વિસ્તારોમાં લોકોની ભારે ભીડ રહેવાની સંભાવના છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વાહનવ્યવહારને સુચારુ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
    આ જાહેરનામું ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી ૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી દરરોજ રાત્રે ૮:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા દરમિયાન અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન ભારે વાહનોએ નીચે જણાવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે…‌

    • વૈકલ્પિક રૂટ-૧ (રાજકોટ/ટંકારા/જામનગરથી આવતા વાહનો) :

    અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ, બસ સ્ટેન્ડ રોડ, દિવાનપરા રોડ, અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ, સરકારી હોસ્પિટલ રોડ, રાતદેવરી ગામ થઈને વાંકીયા ગામથી નેશનલ હાઈવે પર પહોંચી શકશે.

    • વૈકલ્પિક રૂટ-૨ (મોરબીથી આવતા વાહનો) :

    નેશનલ હાઈવે, વાંકીયા ગામ, રાતદેવરી, સરકારી હોસ્પિટલ રોડ, અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ, દિવાનપરા રોડ, બસ સ્ટેન્ડ રોડ, સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ થઈને રાજકોટ રોડ અથવા અમરસર, મીતાણા, ટંકારા, જામનગર તરફ જઈ શકશે.

    • વૈકલ્પિક રૂટ-૩ (રાજકોટ/ટંકારા/જામનગરથી મોરબી જતા વાહનો) :

    અમસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ, બસ સ્ટેન્ડ રોડ, દિવાનપરા રોડ, અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ, સરકારી હોસ્પિટલ રોડ, રાતીદેવરી ગામ થઈને જડેશ્વર રોડથી મોરબી પહોંચી શકશે.

    • વૈકલ્પિક રૂટ-૪ (ટંકારા/લજાઈથી આવતા વાહનો) :

    આ જાહેરનામાની જોગવાઈઓમાંથી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પી.જી.વી.સી.એલ., એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કૂલ/કોલેજ વાહનો, સામાજિક કે ધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા વાહનો અને આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતાં વાહનોને મુક્તિ આપવામાં આવી છે. તેમજ આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!