વાંકાનેર તાલુકાના અણીટીંબા ગામના ગૌરવ સમાન અને “JD” તરીકે સમગ્ર વિસ્તારમાં ઓળખ ધરાવતા જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 26 વર્ષ પુર્ણ કરી 27માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે…
મિત્ર સ્વભાવ અને સહાનુભૂતિથી ભરપૂર JD વેપાર ક્ષેત્ર સાથે જોડાઇ પંથકમાં યુવા ઉદ્યોગપતિ તરીકે ઓળખ ધરાવે છે. તેઓ માત્ર વેપાર ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ સક્રિય અને પ્રભાવશાળી ચહેરા તરીકે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. પશુ-પક્ષી તથા માનવ સેવા પ્રત્યેની તેમની લાગણી તેમને સંવેદનશીલ અને ચિંતનશીલ વ્યક્તિત્વ તરીકે ઓળખ આપે છે…

અણીટીંબા ગામથી શરૂ થયેલી તેમની સફર આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઓળખ પામી છે. વેપાર ક્ષેત્રે સફળતા સાથે સામાજિક જવાબદારી નિભાવતા JD આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્રો અને શુભેચ્છકો દ્વારા રૂબરૂ તથા સોશિયલ મીડિયામાં પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt






