વાંકાનેર તાલુકાના ભોજપરા ગામ ખાતે આવેલ એજાઝએહમદ ઇસ્માઈલભાઈ માથકીયાની કરીયાણાની દુકાનમાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરએ દરવાજાનો લોક તોડી દુકાનમાં ઘુસી ટેબલના ખાનામાંથી દસ હજારની રોકડ રકમની ચોરી કરી નાસી છુટતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
આ બનાવમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોરીના સમયે દુકાન માલિક દ્વારા આ જ ગામના ચોરને રંગે હાથ ઝડપી પાડી પોલીસ હવાલે કરવામાં આવ્યો હોય, જે બાદ હાલ આ બનાવમાં પોલીસ દ્વારા અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હોવાની વિગતો ફરિયાદમાં જણાવી છે….