વાંકાનેર શહેર નજીક ભાટિયા સોસાયટીમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે રહેતા રમેશચંદ્ર મણીલાલ કારીયા નામના 60 વર્ષીય વૃદ્ધએ ગઈકાલ સવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા, આ બનાવમાં મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસના એએસઆઇ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA