આગામી સોમવારના બકરી ઇદના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા સોમવાર, મંગળવાર અને બુધવાર એમ ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે, જે સમય દરમ્યાન યાર્ડની તમામ કામગીરી બંધ રાખવા નિર્ણય લેવાયો છે….
બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પાસેથી મળતી માહિતી મુજબ આગામી તા. ૧૭ જુન, સોમવારે બકરી ઈદનો તહેવાર હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા. ૧૭ થી ૧૯ જુન સુધી રજા જાહેર કરવામાં આવી છે, જેથી આ સમય દરમિયાન યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે, જેની દરેક ખેડૂતો, દલાલ ભાઈઓ અને વેપારીઓએ નોંધ લેવા જણાવાયું છે….