Tuesday, July 22, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના અમરસર ગામે ગંદકી મામલે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઇ....

    વાંકાનેરના અમરસર ગામે ગંદકી મામલે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઇ….

    વાંકાનેર તાલુકાના અમરસર ગામના રહેવાસી ખોળાભાઈ હરજીવનભાઈ ચાવડાના રહેણાંક મકાન અને આજુબાજુના વિસ્તારમાં લાંબા સમયથી ગંદકીના ગંજ, કીચડ તથા ગટરના પાણી ભરવાના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય, જેથી આ સમસ્યાથી મુક્તિ માટે વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે….

    અત્રે ઉલ્લેખનીય છે કે અરજદાર દ્વારા અગાઉ અનેક વખત સ્થાનિક ગ્રામ પંચાયતને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ ન થતા આ વિસ્તારના નાગરિકોને લાંબા સમયથી ગંદકીના સામ્રાજ્ય વચ્ચે જીવન પસાર કરવા મજબૂર થવું પડે છે, જેથી આ મામલે તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવવા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!