વાંકાનેર તાલુકાના સિંધાવદર (કાસમપરા) ગામના રહેવાસી પરાસરા આહમદ હયાત(પટેલ) નામના વૃદ્ધ મગજની અસ્થિરતાના કારણે મંગળવારથી ઘરે કોઈને કહ્યા વગર નિકળી ગયા હોય, જેઓ લાપતા થતાં પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા શોધખોળ કરવામાં આવતી હોય, દરમિયાન આજરોજ બપોરના સમયે ગામ નજીક વૃદ્ધના ઘર પાસે આવેલ મચ્છુ ડેમની કેનાલમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હોવાની વિગતો મળી રહી છે…..
જેમાં ૨૪ કલાક કરતા વધારે સમયથી વૃદ્ધની લાશ પાણીમાં હોવાની પ્રાથમિક વિગતો બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA