Wednesday, July 2, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં વિદાયમાન સમારોહ યોજાયો....

    વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં વિદાયમાન સમારોહ યોજાયો….

    વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 1995થી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પુર્વ સેક્રેટરી અબ્દુલભાઈ એ. ચૌધરી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં ગઈકાલ સોમવારે માર્કેટિંગ યાર્ડના કોન્ફરન્સ હોલ ખાતે તેમનો નિવૃત્ત વિદાયમાન સમારોહ યોજાયો હતો, જેમાં છેલ્લા 30 વર્ષથી તેમની માર્કેટીંગ યાર્ડને મળેલ સેવામાં યાર્ડ સતત સફળતાના શિખરો સર કરી રહી હોય, જે બદલ તેમને સન્માનિત કરી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી…

    આ તકે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા, વાઇસ ચેરમેન નાથાભાઈ ગોરીયા, પૂર્વ ધારાસભ્ય મોહંમદજાવેદ પીરજાદા, કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા સહિત માર્કેટિંગ યાર્ડના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને વાંકાનેર વિસ્તારના સહકારી, સામાજીક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી નિવૃત્ત થતા સેક્રેટરી અબ્દુલભાઈ ચૌધરીને સન્માનિત કરી નિવૃત્ત વિદાયમાન આપ્યું હતું….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!