વાંકાનેર તાલુકાના મુળ ખેરવા ગામના વતની અને હાલ ચંદ્રપુર અમર સોસાયટી સ્થિત ભાજપ અગ્રણી અસરફભાઈ રહેમાનભાઈ બાદી (ઉ.વ. ૫૭)નું શુક્રવારે મોડી રાત્રિના ઈન્તેકાલ/ દુઃખદ અવસાન થયું છે, જેમની આખરી સફર શનિવારે વહેલી સવારે નિકળતાં તેમના જનાઝાને બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ કાંધ આપી હતી. મર્હુમનું બેસણું તા. 23/03/26, સોમવારના રોજ તેમના નિવાસસ્થાન અમર સોસાયટી, સીએનજી પંપ પાછળ, ચંદ્રપુર ખાતે બપોરે 3 થી સાંજે 6 દરમિયાન રાખેલ છે….


