
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની ફરિયાદી નવાઝશરીફ હનિફભાઈ કડીવાર સાથે ગત તા. 09-10-2019ના રાત્રીના મોરબી-વાંકાનેર હાઇવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક લઇને પસાર થતાં ફરિયાદીને પુરઝડપે આવતાં ટ્રક નં. GJ 24 X 0850ના ચાલકે બેદરકારીપૂર્વક પાછળથી ટક્કર મારતા અકસ્માતમાં ફરિયાદી નવાઝ શરીફને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે પ્રથમ બાદ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોય, જેમાં ફરીયાદીને ડાબા પગમાં ગંભીર ઇજાઓ થતાં કાયમી રીતે અપંગ બન્યા છે,
ત્યારે આ મામલે અરજદાર દ્વારા મોટર વાહન અધિનિયમની કલમ 166 હેઠળ રાજકોટ સ્થિત મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલમાં દાવો કરવામાં આવ્યો હતો જે કેસમાં તમામ પુરાવા અને દલીલો બાદ નામદાર કોર્ટે ટ્રકના ચાલકની બેદરકારી સાબિત માની ટ્રકના માલિક તથા વીમા કંપનીને જવાબદાર ઠેરવી કુલ રૂ. 70,62,766/- નું વળતર ફરિયાદીએ ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં અરજદાર તરફેથી વકીલ તરીકે વાંકાનેરના એડવોકેટ ફરીદ મદની એ. પરાસરા રોકાયેલ હતા….






