Friday, November 14, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : મિત્રતાની રૂએ આપેલ રકમના ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા ફટકારતી...

    વાંકાનેર : મિત્રતાની રૂએ આપેલ રકમના ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા ફટકારતી કોર્ટ….

    વાંકાનેર ખાતે મિત્રને ધંધામાં મંદીના સમયે આપેલ રૂ. 1.25 લાખની રકમની અવેજીમાં આપેલ ચેક રિટર્ન કેસમાં નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારતો હુકમ કર્યો છે. જેમાં ફરિયાદી ગામોટ સુરેશભાઈ માવજીભાઈએ તેમના મિત્ર અને ચેક રિટર્ન કેસના આરોપી દુગેશ મણીલાલ ચૌહાણને મિત્રતાના નાતે ધંધામાં મંદી હોવાથી હાથ ઉછીના રૂ.૧,૨૫,૦૦૦ એક માસ અને ત્રણ દિવસ માટે આપેલ તેમજ સમય પુરો થઈ રકમની ઉઘરાણી કરતા,

    આરોપીએ ફરીયાદીને બે માસ પછી ચુકવી આપીશ તેવું વચન અને વિશ્વાસ સાથે એક ચેક આપેલ હોય, જે ચેક રિટર્ન થતાં ફરિયાદીએ વાંકાનેર કોટમાં ફરિયાદ દાખલ કરતાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ વળતર તરીકે ચુકવા હુકમ કર્યો છે. આ કેસમા ફરિયાદી તરફે એડવોકેટ અંજનાબેન એમ. રાઠોડ રોકાયા હતાં…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/K1p38uWmpPq52mODC7etzP?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!