Wednesday, October 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ચંદ્રપુર ગામના સક્રિય આગેવાન મોહનભાઈ મકવાણાનું હાર્ટ એટેકથી અવસાન....

    વાંકાનેરના ચંદ્રપુર ગામના સક્રિય આગેવાન મોહનભાઈ મકવાણાનું હાર્ટ એટેકથી અવસાન….

    વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના સક્રિય આગેવાન મોહનભાઈ છગનભાઈ મકવાણા (ઉ.વ. ૭૩)ને ગઇકાલે સવારે તેમના ઘરે હાર્ટ એટેક આવતાં તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થતાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, મોહનભાઈ મકવાણા પોતાના જીવનમાં લાંબા સમયથી સહકારી તથા રાજકીય ક્ષેત્રમાં તેમજ કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ સક્રિય રીતે જાહેર જીવનમાં સેવારત હોય, જેમના અવસાનથી ચંદ્રપુરના જાહેર ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!