Tuesday, July 15, 2025
More
    Homeમુખ્ય સમાચારમોરબી જિલ્લાના છ પીઆઇની આંતરીક બદલી કરાઇ : વાંકાનેર તાલુકા પીઆઇ તરીકે...

    મોરબી જિલ્લાના છ પીઆઇની આંતરીક બદલી કરાઇ : વાંકાનેર તાલુકા પીઆઇ તરીકે બી. વી. પટેલની નિમણૂક….

    મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આજરોજ જીલ્લામાં ફરજ બજાવતા છ પોલીસ ઇન્સ્પેકટરની આંતરીક બદલી કરવામાં આવી છે, જેમાં લિવ રિઝર્વમાં રહેલા ત્રણ પીઆઈને પોલીસ મથકોમાં પોસ્ટિંગ અપાયા છે. આ સાથે વાંકાનેર તાલુકા, મોરબી બી ડિવિઝન, માળિયા અને સાયબર ક્રાઇમના પીઆઇ બદલાયા છે….

    મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા આજરોજ કરવામાં આવેલ પી.આઇની બદલીઓમાં વાંકાનેર તાલુકા પી.આઇ. ડી. વી. ખરાડીને લિવ રિઝર્વમાં મુકી નવા પીઆઇ તરીકે લિવ રિઝર્વમાં રહેલા બી. વી. પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે વી. એન. પરમારને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, કે. કે. દરબારની માળિયા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. જ્યારે માળિયા પીઆઇ આર. સી. ગોહિલને લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. સિટી બી ડિવિઝનના એન. એ. વસાવાને સાયબર ક્રાઈમમાં તેમજ વી.એન.પરમારને પેરોલ ફર્લો સ્ક્વોડની વધારાની કામગીરીથી મુક્તિ આપવામાં આવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!